slider

sahas-prakram

By Chandsar -
થોડા જ સાહસના અભાવમાં ઘણી બધી પ્રતિભા વિશ્વમાં ખોવાઈ જાય છે.   
   
માનવીના બધાજ ગુણોમાં સાહસ પહેલો ગુણ છે, કારણકે તે બધા જ ગુણોની જવાબદારી લે છે.   
   
કમજોરીનો ઈલાજ તેની ચિંતા કરવામાં નથી પણ શક્તિનો વિચાર કરવામાં છે.   
   
જેમ ધુમાડો વાયુને વશ થઇ તેને અનુસરે છે તેમ ધર્મ વીરતાને અનુસરે છે.   
   
કાયર મનુષ્ય મૃત્યુ પહેલા અનેક વાર મૃત્યુ પામે છે, જયારે વીર પુરુષો એક જ વાર મૃત્યુ પામે છે.   
   
સંકટના સમયે હિમત ધારણ કરવી એ અડધી લડાઈ જીતવા બરાબર છે.   
   
સંકટોથી બચવા નહિ પરંતુ સંકટનો બહાદુરી પૂર્વક સામનો કરી શકીએ તે માટે પ્રાર્થના કરવી જોઈએ.   
   
હિમત એટલે શું ? તેનો અર્થ જ એ છે કે પરિણામની પરવા કાર્ય વગર તમે કાર્યસિદ્ધિ માટે મથ્યા રહો.   
   
જે બીજા પર વિજય પામે છે તે હિમતવાન છે પણ જે પોતાની પર વિજય પામે છે તે જ સાચો વીર છે.   
   
પોતાની જાતને વધુ ને વધુ સારી બનાવવાનો પ્રયત્ન કાર્ય કરવો તે જ વીરતા છે. તે જ સાચું  પરાક્રમ છે.   
   
મારવામાં તો પશુતા છે પણ જે સ્વયં મૃત્યુ પામવાનું સાહસ ધરાવે છે તે જ સાચો વીર છે.